આજરોજ કલોલ નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત પ્રજા ની લાગણી -માંગણી -અપેક્ષાઓ પૂર્ણ કરવા"સેવા સેતુ " કાર્યકમ યોજાયો હતો જેમાં વિવિધ યોજનાઓ જેવી કે માં અમૃતમ યોજના ,અન્નપૂર્ણા યોજના,વિધવા સહાય યોજના ,નિરાધાર પેન્શન યોજના, જનધન યોજના ,સહિત આધાર કાર્ડ ,રેશન કાર્ડ,આવક ના દાખલા જાતિ ના દાખલા, ને કચેરી ને લગતી તમામ બાબતો નું ઝડપી નિકાલ થાય તે માટે દર પખવાડિયે સરકાર દ્વારા આવા કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં ગુજરાત સરકાર ના મહિલા અને બાળ- કલ્યાણ વિભાગ ના મંત્રી શ્રી નિર્મલાબેન વાઘવાણી ,ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી સતીષભાઈ પટેલ ,કલોલ પ્રાંત ઓફિસર કે.વી .ભાલોદિયા,મામલતદાર જે.પી.મકવાણા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.એચ.પી .પ્રજાપતિ,ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ ,પૂર્વ ધારાસભ્ય અતુલભાઈ પટેલ ,નાગરિક બેન્ક ના ચેરમેન ગોવિંદભાઇ પટેલ ,કલોલ નગરપાલિકા પ્રમુખ આનંદીબેન પટેલ ઉપ પ્રમુખ શૈલેનદ્રસિહ વાઘેલા,ચેરમેન સુનિલભાઈ મેસરિયા સહિત નગરપાલિકા ના કાઉન્સિલરો તથા શહેર પ્રમુખ રાજુભાઇ પટેલ ,મહામંત્રીઓ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ અને મનુભાઈ ચૌધરી સહિત કલોલ શહેર ના હોદેદારો કાર્યકર્તાઓ એ મોટી સઁખ્યાં માં હાજર રહી ને પ્રજાલક્ષી યોજનાઓ નો લાભ અપાવ્યો હતો. વિશેષ માં નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે "ઝેરોક્ષ"ની સુવિધા નાગરિકો ને આપવામાં આવી હતી......