આજ રોજ તા ૧૯.૭.૧૭ ના રોજ પ્રાઆકે રાંચરડાના મોજે ગામ વાયણા થોળ રોડ ઉપર આવેલી અરવિંદ અપલેન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સાઇડ ખાતે સાઇડના મેનેજર શ્રી સૈલીન શાહ અને પ્રાઆકે રાંચરડા દ્વારા મજુરોને મેલેરીયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગ , રસીકરણ કાર્યક્ર્મ અને સરકારશ્રીના વિવિધ આરોગ્ય કાર્યક્ર્મોની જાણકારી મળી રહે તે હેતુસર સાઇડના હોલમાં રાખવામાં આવેલ હતો. આ કાર્યક્ર્મમાં જિલ્લા મેલેરીયા અધિકારી શ્રીમતી મમતાબેન દત્તાણી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હર્ષદ પ્રજાપતિ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા જેવા રોગોની પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત સમજ આપેલ હતી. તેમજ વીડીયો ફિલ્મ બનાવી લોકોને જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવેલ હતો. ડૉ. હર્ષદ પ્રજાપતિ દ્વારા માતૃબાળ કલ્યાણ, રસીકરણ, ક્લેફટ લીપ, ક્લેફટ પેલેટ, ક્ષય ,વિકલાંગતા, લેપ્રસી , આંખો ના રોગો વગેરે તથા સરકારશ્રીની અન્ય યોજના અને કાર્યક્રમની વિસ્તૃત જાણકારી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી આપવામાં આવેલ હતી. તેમજ તમામ કાર્યક્રમોની વીડીયો બતાવવામાં અવી હતી. આ કાર્યક્ર્મમાં સાઇડના કુલ ૩૦૦ જેટલા મજુરોને લોકજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરેલ હતો. અને તમામ મજુરોને પોરા નિદર્શન કરી બતાવેલ હતું. આ કાર્યક્રમમાં પ્રાઆકે રાંચરડાના મે.ઓ.શ્રી ડૉ. હેમાંગીની પટેલ, મપવ શ્રી કનકસિંહ ,રામદેવ દેસાઇ, અંકિત પટેલે ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. આભાર. .... THO Kalol