તા ૨૧.૮.૧૭ ના રોજ ગામ પાનસર ખાતે સવારે ૧૧.૦૦ કલાકે અને ગામ ડીગુચા ખાતે બપોરે ૦૪.૦૦ કલાકે ગ્રામસભાનુ આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લા નોડલ અધિકારી તરીકે ડૉ. એચ.પી.પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી, કલોલ હાજર રહેલ.
આ ગ્રામ સભામાં નીચે મુજબના મુદાઓની ચર્ચા કરવામાં આવી.
1. ભ્રષ્ટાચારમુકત,ગરીબી મુકત, સ્વચ્છ ભારત, આતંકવાદમુકત, જ્ઞાતિવાદ મુકત, કોમવાદ મુક્ત અને વ્યસનમુક્ત ભારતને કરવાનો તમામ આવનાર ગ્રામજનો દ્વારા સંકલ્પ લેવામાં આવેલ.
2. આરોગ્ય વિભાગ, ICDS, પંચાયત, શિક્ષણ, અને અન્ય તમામ વિભાગ દ્વારા સરકારશ્રીની ચાલતી યોજનાઓની માહીતી આપવામાં આવી.
3. ગ્રામજનોના તમામ પ્રશ્નો સ્થાનિક લેવલે નિરાકરણ કરવામાં આવ્યા.
4. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વ્યસનમુક્તિ અને સ્વચ્છ ભારત માટે વિસ્તૃત ચર્ચા કરી. જો ૧૦૦ રૂપિયાનુ વ્યસન દરરોજ કરવામાં આવે તો ૨૦ વર્ષમાં રૂ. ૭,૨૦,૦૦૦( સાત લાખ વીસ હજાર) નુ ઘર દીઠ નુકસાન થાય છે. જો નિયમિત રસીકરણ અને સંસ્થાકીય સુવાવડ કરવામાં આવે તો ઘર દીઠ ૫૦૦૦૦ એટલે દરેક ગામ દીઠ ૨૦ વર્ષમાં કરોડોની સંખ્યામાં લાભ થાય. આમ ગ્રામજનો પોતાના પૈસા કઇ રીતે બચાવી પોતાનુ આરોગ્ય સારૂ રાખી શકે તેવુ સમજાવેલ.
5. દરેક ઘરે શૌચાલય બનાવી સ્વચ્છ ભારત બનાવવા જણાવ્યુ.
6. દરેક વ્યક્તિનુ આરોગ્ય, શિક્ષણ, અને સ્વચ્છ વાતાવરણ હોય તો સરકારશ્રીના વિવિધ લાભોનુ ખુબ જ ઓછી જરૂરીયાત પડે.
7. વ્યસનમુક્તિ અને સ્વચ્છ ન રાખનાર વ્યક્તિ પાસે રૂ. ૨૦૦ નો દંડ કરવાનો ઠરાવ કરેલ ( જાહેર સ્થળો અને તમામ સરકારી કચેરીમાં )
8. દરેકે વેરો અવશ્ય ભરવા જણાવેલ.
9. અંદાજીત કુલ ૧૦૭ ( પાનસર) અને ૧૧૦ ( ડીગુચા) ગ્રામજનો હાજર રહેલ.