આજ તા :06.06.17 ના રોજ કલોલ તાલુકાની તમામ શાળાઓ ના આચાર્ય શ્રી ની ગુજરાત સરકારશ્રી દ્રારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાત માથી મેલેરીયા નિર્મુલન કરવા ના અભિયાન અંતર્ગત ભાગીદારી માટે બી. આર. સી ભવન, કલોલ ખાતે સવારે 09 વાગ્યે વકઁશોપ નુ આયોજન કરેલ . જેમા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હષઁદ પી પ્રજાપતિ દ્વારા શાળા સંકુલ મા આવેલ તમામ ધાબા, પાણીની પરબ, ટાંકા, પક્ષી કુંજ, તેમજ અન્ય વધારાના પાણીના પાત્રો કે જેમાં વરસાદી પાણી ભરાવવાની અને પોરા થવાની શક્યતાઓ છે. તેમાં દર શુક્રવારે સાફ સફાઇ કરાવવાની સૂચના આપી. વાહક જન્ય રોગો મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ના લક્ષણો અને સંપૂર્ણ સારવાર વિશે વિસ્તૃત માહિતી Power Presentation દ્વારા આપી. મસ્છર ની Life Style વિશે Video બતાવી તમામ ને માહિતગાર કર્યા. તાવ આવે ત્યારે 5 પ્રશ્ર્નો પૂછી તાવ ના કેસ ની માહિતી લેવા જણાવ્યુ.
વધુમા NIPI Programme જેમા વિધાથીઁઓને દર બુધવારે લોહતત્વ વધારવાની ગોળીઓ નિયમિત આપવા અને હાજરી પ્રત્રક મા તેની નોંધ કરવા જણાવ્યુ. તેમજ આ માહિતી તેમની શાળાના તમામ સ્ટાફ ( શિક્ષકો) અને વિધાર્થીઓને આ અંગે માહિતગાર કરવા જણાવ્યુ.
વધુમા તમામ આચાર્ય પાસે થી નિચે મુજબ નુ ભાગીદારી પ્રમાણપત્ર લેવામા આવ્યુ.
આથી હું નીચે સહી કરનાર શ્રી ................................................................................., આચાર્યશ્રી, શાળા .................................................................... ગામ .................................. તા- કલોલ ગુજરાત સરકારશ્રી દ્રારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાત માથી મેલેરીયા નિર્મુલન કરવા ના અભિયાન અંતર્ગત ભાગીદારી માટે મારી શાળા સંકુલમાં ધાબા, પાણીની પરબ, ટાંકા, પક્ષી કુંજ, તેમજ અન્ય વધારાના પાણીના પાત્રો કે જેમાં વરસાદી પાણી ભરાવવાની અને પોરા થવાની શક્યતાઓ છે. તેમાં દર શુક્રવારે સાફ સફાઇ કરાવીશ. તેમજ તમામ સ્ટાફ ( શિક્ષકો) અને વિધાર્થીઓને આ અંગે માહિતગાર કરીશ. જે અંગે આ પ્રમાણપત્ર આપુ છું.
તારીખ-........................ સહી.....................