મેલેરીયા નિર્મુલન ૨૦૨૦ ( કલોલ માથી ) અને જુન માસ ઉજવણી અંતર્ગત કલોલ તાલુકામાં આરોગ્ય કમૅચારી માટેનો વર્કશોપ યોજાયો , THO Kalol Dt : 17/06/17

                     મેલેરીયા નિર્મુલન ૨૦૨૦ ( કલોલ માથી )  અને જુન માસ ઉજવણી અંતર્ગત કલોલ તાલુકામાં આરોગ્ય કમૅચારી માટેનો વર્કશોપ યોજાયો ,

                      ગુજરાત સરકારશ્રીના મેલેરીયા નિર્મુલન અભિયાન-૨૦૨૨ અને મેલેરીયા વિરોધી માસ ઉજવણી ૨૦૧૭  ના ભાગરૂપે તા ૧૭.૬.૧૭ ના રોજ તાલુકા કક્ષાનો મેલેરીયા વર્કશોપ આંબેડકર ભવન કલોલ પુર્વ વિસ્તારમાં યોજવામાં આવ્યો. જેમાં તમામ પ્રાઆકે અને શહેરી પ્રાઆકે ના મે.ઓ.શ્રી, આયુષ મે.ઓ.( NHM/RBSK) , તાલુકા આઇ.ઇ.સી. અધિકારીશ્રી, તાલુકા હેલ્થ વીઝીટરશ્રી, તાલુકા સુપરવાઇઝરશ્રી, તમામ પ્રાઆકે ના સુપરવાઇઝરશ્રીઓ, હેલ્થ વીઝીટરશ્રી, મપવ, શહેરી પ્રાઆકે ના પી.એચ.એન. ,એસ.આઇ., ફીહેવ અને શહેરી સીબીએચવી બહેનો  ઉપસ્થિત રહ્યા.હતા.
         વકઁશોપ ની શરૂઆત મા કલોલ તાલુકામા વિશિષ્ટ પ્રકારની કામગીરી હાથ ધરવા બદલ શ્રી વાસુદેવ ગજ્જર, પુરુષ આરોગ્ય કમઁચારી,  વેડા ને પુસ્પગુસ્છ આપી અભિનંદન પાઠવવા આવેલ.
                       વર્કશોપમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એચ.પી. પ્રજાપતિ દ્વારા વાહકજ્ન્ય રોગો વિશે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન અને વીડીયોના માધ્યમ દ્વારા વિસ્તૃત માહીતી આપવામાં આવી. અને હાજર તમામ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને વાહકજ્ન્ય રોગ અટકાયત અંગેના શપથ લેવડાવ્યા.














 

    આરોગ્ય કમૅચારી દ્રારા મેલેરીયા નિર્મુલન ના  શપથ