તાલુકા આરોગ્ય કચેરી, કલોલ દ્વારા ૧૧ જુલાઇ-૨૦૧૭ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
૧૧ જુલાઇ વિશ્વ વસ્તી દિવસ- ૨૦૧૭ ઉજવણી નિમિતે કલોલ તાલુકાના મોજે ગામ નારદીપુર ખાતે મહિલા ગ્રામ વિધાપીઠ ખાતે ડૉ. એચ.પી. પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી,કલોલ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી ભારતની વસ્તી બાબતે, વસ્તી વધારાના કારણોસર ઉદભવતી સમસ્યાઓ જેવી કે પર્યાવરણ ને અસર, રોજગારી, બેકારી, ગ્લોબલ વોર્મીગ, શિક્ષણ ને અસર, આરોગ્ય ને અસર ,શહેરીકરણ , વગેરે બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી. આ અંગેની ટુંકી ફિલ્મો પણ બતાવવામાં આવી હતી.
વધુમાં સદર બાબતે કુટુબ કલ્યાણ કાર્યક્ર્મ અંતર્ગત નાનુ કુટુંબ સુખી કુટુંબ, નાના કુટુંબના ફાયદા, મોડા લગ્ન, પ્રથમ બાળક લગ્ન બાદ તુરત જ નહી, બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનુ અંતર, PPIUCD/ કુટુબ કલ્યાણની કાયમી અને બિનકાયમી પધ્ધતિઓ તેમજ નવી બિનકાયમી પધ્ધતિ અંતરા અને છાયા બાબતે, કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુબનો ફાળો , એનેમિયા અટકાવવાની રીત , મેલેરીયા / ડેંન્ગ્યુ વિશે માહિતી , જન્મ જાત ખોંડખાપણ વિશે વગેરે બાબતે ભારપુર્વક ચર્ચા કરવામાં આવી. અને બાદમાં India Renal Foundation ના Jayesh B. Patel દ્વારા કીડની, કીડનીના રોગો અને કીડનીની સમસ્યા અને તેની સારવાર બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલી વિધાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. કાર્યક્ર્મમાં નારદીપુર વિધાપીઠના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો હાજર હતા.
બાદમાં કલોલ વેપારીજીનમાં આવેલ જન શિક્ષણ સંસ્થા કલોલ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. અને આ સંસ્થા મા ડૉ. હર્ષદ પી.પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, કલોલ દ્વારા ઉપરોક્ત બાબતેની વિસ્તૃત માહીતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી આપેલ હતી. સંસ્થાની કુલ ૧૦૦ જેટલી બહેનોએ આ કાર્યક્ર્મમાં ભાગ લીધેલ હતો.
વધુમાં સદર બાબતે કુટુબ કલ્યાણ કાર્યક્ર્મ અંતર્ગત નાનુ કુટુંબ સુખી કુટુંબ, નાના કુટુંબના ફાયદા, મોડા લગ્ન, પ્રથમ બાળક લગ્ન બાદ તુરત જ નહી, બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનુ અંતર, PPIUCD/ કુટુબ કલ્યાણની કાયમી અને બિનકાયમી પધ્ધતિઓ તેમજ નવી બિનકાયમી પધ્ધતિ અંતરા અને છાયા બાબતે, કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુબનો ફાળો , એનેમિયા અટકાવવાની રીત , મેલેરીયા / ડેંન્ગ્યુ વિશે માહિતી , જન્મ જાત ખોંડખાપણ વિશે વગેરે બાબતે ભારપુર્વક ચર્ચા કરવામાં આવી. અને બાદમાં India Renal Foundation ના Jayesh B. Patel દ્વારા કીડની, કીડનીના રોગો અને કીડનીની સમસ્યા અને તેની સારવાર બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલી વિધાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. કાર્યક્ર્મમાં નારદીપુર વિધાપીઠના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો હાજર હતા.
બાદમાં કલોલ વેપારીજીનમાં આવેલ જન શિક્ષણ સંસ્થા કલોલ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. અને આ સંસ્થા મા ડૉ. હર્ષદ પી.પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, કલોલ દ્વારા ઉપરોક્ત બાબતેની વિસ્તૃત માહીતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી આપેલ હતી. સંસ્થાની કુલ ૧૦૦ જેટલી બહેનોએ આ કાર્યક્ર્મમાં ભાગ લીધેલ હતો.
તાલુકા આરોગ્ય અધિકારી , તાલુકા આરોગ્ય કચેરી,કલોલ