આજ રોજ તા-૧૫.૬.૧૭ ના રોજ તાલુકા પંચાયત કચેરી,કલોલ ખાતે મેલેરીયા નિર્મુલન કરવાના અભિયાન અંતર્ગત તાલુકા કલોલના ગ્રામ્ય વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રીઓનો વર્કશોપ યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં તાલુકા કલોલના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એચ.પી. પ્રજાપતિ દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી વાહક જન્ય રોગો વિશે અને તેના અટકાયતી પગલા , મચ્છર ઉત્પતિ સ્થાન,પોરાનાશક કામગીરી વિગેરે બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને ટુંકી વીડીયો ફિલ્મ બતાવી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બાબતે જાણકારી આપેલ હતી.
ગામમાં નિયમિત ક્લોરીનેશન અને ક્લોરીનેશન ડોઝીગ સીસ્ટમ બાબતે વિગતવાર માહીતી આપેલ હતી.
પોરા નિદર્શન/ ગપ્પી માછલી અને ક્લોરીનેશન માત્રા બાબતે ડેમો કરી માહીતગાર કરવામાં આવેલ હતા.
તમામ તલાટીશ્રીઓના નિયમિત ક્લોરીનેશન અને મેલેરીયા નિર્મુલન અભિયાન કામગીરી ની ભાગીદારી બાબતે નિચે મુજબ ના બાંહેધરી પત્રક લીધેલ હતા.
બાંહેધરી પ્રમાણપત્ર
આથી હુ નીચે સહી કરનાર તલાટીશ્રી ............................................................................... ગામ............................................................ તા-કલોલ બાંહેધરી આપુ છુ કે અમારા દર્શાવેલ તમામ ગામોમાં નિયમિત ક્લોરીનેશન કરાવીશ. જો કોઇપણ જગ્યાએ ક્લોરીનેશન રીપોર્ટ નેગેટીવ આવશે તો તેની જવાબદારી અમારી રહેશે. વધુમાં ગુજરાત સરકારશ્રી દ્રારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાત માંથી મેલેરીયા નિર્મુલન કરવાના અભિયાન અંતર્ગત મારી ભાગીદારી દશૉવતા હુ અમારા ગામમાં કોઇપણ નાના-મોટા ખાડા ખાબોચિયામાંથી પાણીનો નિકાલ કરાવીશ અથવા બળેલા ઓઇલનો નિયમિત છંટકાવ કરાવીશ જેથી પોરાનો નાશ થાય. ગામામાં કોઇપણ લીકેજ મળશે તો તેનુ તુરંતજ રીપેરીંગ કરાવીશ.
તારીખ- ............................ સહી ..............................................